પોસ્ટ્સ

દેસાઈ અટક નો ઈતિહાસ

         જય માતાજી તમામ સમાજ બંધુઓ ને. મિત્રો, ક્ષત્રિય સમાજની વિવિધ અટકો,પેટા અટકો અને પોતાના બાપદાદાના નામ ઉપરથી અટકો, પોતાના મૂળ ગામ ઉપરથી પડેલી અટકો,તેમજ મુસ્લિમ અને અંગ્રેજ શાસન સમયમાં એ સમયના સત્તાધીશોએ આપેલી પદવીઓ, માન અને મોભાઓ ઉપરથી પડેલી અટકો અંગે અવાર નવાર આપણે સૌ ચર્ચાઓ કરીએ છીએ.આવી અટકો, સમસ્ત ક્ષત્રિય સમાજ તેમજ આ સિવાય અન્ય સમાજોમાં પણ આવી અટકો કે પદવી યા મોભાવાચક અટકો એટલે કે સરનેમ હાલમાં ઘણા પ્રમાણમાં જોવા મળે છે. ઠાકોર,રજપૂત,દરબાર તેમજ અન્ય સમાજોમાં પણ પોતાના બાપદાદાના ના નામ ઉપરથી, પોતાના મૂળ ગામ ઉપરથી પણ અટકો જોવા મળે છે. દા. ત. મારી પોતાની જ વાત કરું તો અમારા પરમાર વંશની એક શાખા અમારા પૂર્વજ યા પરદાદા કે જેઓનું નામ રાભાજી પરમાર યા રભાભા હતું. જેઓના નામ ઉપરથી આજે પણ અમારી શાખના પરમારો રભાતર પરમાર તરીકે ઓળખાય છે. આ શાખના પરમારો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા તેમજ પાટણ અને મહેસાણા જિલ્લામાં વસે છે.          એજ રીતે કોઈ ડેર ગામના મૂળ વતની હોય તો ડેરિયા ઠાકોર કે ડેરિયા દરબાર તરીકે ઓળખાય છે. આવી જ રીતે મૂળ ચુવાળ પંથકમાંથી ગયેલા અને સૌરાષ્ટ્ર કે સુરેન્દ્રનગર બાજુ ગયેલા ઘ

ઠાકોર યા ઠાકુર સંદર્ભ

ઠાકોર યા ઠાકુર સંદર્ભ  કહેવાય છે કે ભારત દેશમાં એકતામાં વિવિધતા અને વિવિધાતામાં એકતા જોવા મળે છે. આ સર્વથા સનાતન સત્ય છે. સાંસ્ક્રુતિક એક્તાથી આખો દેશ અકજુથ છે. જન્મથી લઈને મૃત્યુપર્યાન્ત સંસ્કારોમાં પણ આશ્ચર્યજનક સમાનતા જોવા મળે છે. એજ રીતે દૈનિક જીવન , રહેણી કરણી , અને વ્યવહારોમાં પણ સમાનતા જોવા મળે છે. આ છે ભારતની સંસ્કૃતિ. સૌથી અગત્યની સમાનતા જોવા જઈએ તો ગુજરાત અને રાજસ્થાન તો એક બીજા સાથે મળી ગયા હોય એવી સંસ્કૃતિ છે. એમાય ખાસ કરીને ઉત્તર ગુજરાત અને રાજસ્થાન તો તમામ દ્રષ્ટિએ એકબીજાની સમાનતાની નજીક છે. પહેરવેશ , બોલી વિગેરે માં સમાનતા જોવા મળે છે. આમ રાજસ્થાન અને ગુજરાતની સંસ્કૃતિ તો પ્રાયઃ એક જ છે. રાજસ્થાન અને ગુજરાતની ઐતિહાસિક , સાંસ્ક્રુતિક અને ભૌગોલિક તેમજ રાજકીય વિવરણ અંગ્રેજ ઈતિહાસકાર એલેકઝાંડર કિનલોક ફાર્બસ ને પોતાના ગુજરાત અને રાજસ્થાનન પુસ્તકોમાં કરેલું જોવા મળે છે. અટકો અને જાતિવાચક સમૂહો અને પેટા સમૂહો ની પણ ગુજરાતમાં એક આગવી ઓળખ છે. બ્રાહ્મણ , ક્ષત્રિયા , વૈશ્ય અને સેવક એમ ચાર વરણોમાં વિભાજિત હિન્દુ સમાજમાં અનેક અટકો અને પેટા અટકો તેમજ સમૂહો અને પેટા સમૂહો

જન્માષ્ટમી ની શુભ કામનાઓ. જય શ્રી ક્રુષ્ણ .

ભગવાન શ્રી ક્રુષ્ણ ગીતાના ૧૩ માં શ્લોકમાં કહે છે કે, चातुर्वर्ण्य मया सुष्ठम गुणकर्मविभागश: । तस्य कर्तारमपि मां विध्दियकर्तारमव्ययम ॥ સારાંશ : - ભૌતિક પ્રકૃતિના ત્રણ ગુણો તથા તેમની સાથે સંકળાયેલા કર્માનુસાર માનવ-સમાજના ચાર વર્ણોની રચના મે કરી છે. જો કે હું આ વ્યવસ્થાનો સ્ષ્ટા છુ, તેમ છતાં અધિકારી હોવાથી હું અકર્તા છુ. ભગવાન દરેક વસ્તુના રચઈતા છે. દરેક વસ્તુ તેમનામાથી જ ઉદભવે છે અને દરેકનું તેમના દ્વારા પાલન થાય છે અને પ્રલય પછી દરેક વસ્તુ તેમની અંદર લય પામે છે. તેઓ જ સમાજ- વ્યવસ્થાના ચાર વર્ણોના સર્જક છે. જેમાં સરવા પ્રથમ બુદ્ધિમાન વર્ગ આવે છે જે સત્વગુણ પ્રધાન હોવાથી પારિભાષિક રીતે બ્રાહ્મણ કહેવાય છે. બીજો વર્ગ શાસનકર્તાઓનો હોવાથી ક્ષત્રિય કહેવાય છે. વૈશ્ય વર્ગ રજોગુણ અને તમોગુણના મિશ્રગુણમાં સ્થિત હોય છે. જ્યારે શુદ્રો અર્થાત શ્રમિક વર્ગના લોકો ભૌતિક પ્રકૃતિના તમોગુણમાં રહેલા હોય છે. મનુષ્ય સમાજના આ ચાર વરગોનું સર્જન કરવા છતાં ભગવાન શ્રી ક્રુષ્ણ આમાંના કોઈપણ વર્ગમાં કે વિભાગમાં નથી. ભગવાને ચાર વર્ણોની રચના એટલા માટે કરી છે કે મનુષ્ય ને પશુ કક્ષામાંથી ઉન્

આશાવલ યા કર્ણાવતી

  વિદાય લેતા વિક્રમ સંવત-2074 અને  સમૃદ્ધિના અપાર ભંડારો સાથે દેદીપ્યમાન સુરજ દેવા કિરણોથી સજાયેલ માં ધરતીમાતાના ખોળાને ખૂંદવા ફરીથી વિક્રમ સંવત-2075 ના સુપ્રભાતે વંદન કરીને સમાજના સૌને ઝાયણીના ઝવાર સાથે ઝાઝા કરીને રાંમ રાંમ અને નવવર્ષ સૌના માટે અનેક આશાઓના ઉજળા ભવિષ્યનું નિર્માણ કરે એવી શુભ કામનાઓ।  મિત્રો આજે આપણે હાલના અમદાવાદ અને પૂર્વકાળમાં જેનું નામ આશાવલ કે કર્ણાવતી હતું એવા ગુજરાતના આ સૌથી મોટા શહેર વિષે જાણીયે। કોઈપણ સમાજ હોય કે ગામ હોય કે જાતિ હોય એનો ઇતિહાસ જાણવો જરૂરી હોય છે. તો મિત્રો ચાલો આપણે હાલના અમદાવાદ કે કર્ણાવતી કે આશાવલ વિષે ઐતિહાસિક મહત્વને જાણીયે। હાલમાં અમદાવાદનું નામ કર્ણાવતી રાખવાનો વિચાર વહેતો થયો છે તો આ બાબતે આપણે કરણાવતી- આશાવલી  નગર ની ઐતિહાસિક માહિતી મેળવીયે। આજથી એક હજાર વર્ષ પૂર્વે હાલનું અમદાવાદ એટલે કે આશાવલ નામનું આ નગર એક સમૃદ્ધ નગર હતું। આશા નામના ભીલોના રાજા એ આ નગરની સ્થાપના લગભગ અગિયારમી સદીમાં કરેલી હતી. આથી આશા નામના ભીલ રાજાના નામ ઉપરથી હાલના અમદાવાદનું નામ આશાવલ રાખવામાં આવ્યું હતું। ગુજરાતમાં રાજપૂત રાજાઓનું શાસન આવ્યું એ પહેલાં ગુજ

ભાઈ બીજનું મહત્વ

ભાઈ બીજ   ભાઈ બીજ   અથવા   કારતક સુદ ૨   હિંદુ પંચાગના   વિક્રમ સંવત   મુજબ વર્ષના પહેલા મહિનાનો બીજો દિવસ છે , જ્યારે   શક સંવત   મુજબ વર્ષના આઠમાં મહિનાનો બીજો દિવસ છે. આ દિવસે બહેનો પોતાના ભાઈના લાંબા આયુષ્ય અને સુખભર્યા જીવન માટે પ્રાર્થના કરે છે અને ભાઈ બહેનને ભેટ આપે છે. ગુજરાતમાં આ દિવસ બહેન ભાઈને પોતાને ઘેર ભોજન માટે આમંત્રણ પાઠવી ઉજવાતો હોય છે. ભાઈ બીજનો તહેવાર   ગુજરાત ,  મહારાષ્ટ્ર ,  હરિયાણા ,  ગોવા ,  પશ્ચિમ બંગાળ ,  કર્ણાટક   માં વધારે લોકપ્રિય છે. પૌરાણિક કથા મુજબ ,  યમુનાને  યમની બહેન માનવામાં આવે છે. અને આ દિવસે યમરાજા બહેન યમુનાને ત્યાં ભોજન માટે ગયા હતા. એવી માન્યતા છે. ત્યારથી જ આ પર્વ મનાય છે   ભાઈબીજ   એક એવો તહેવાર છે જેમાં સુગંધ છે ભાઈ-બહેનના મીઠા સંબંધોની. આ એ તહેવાર છે જે પ્રતિક છે કર્તવ્ય અને મંગલકામનાનુ. અને આ માન્યતા છે જેણે કેટલાય સંબંધોને અતૂટ બંધનોમાં બાંધી મૂક્યા છે. ભાઈની સલામતી માટે અને લાંબા આયુષ્ય માટે જાણે કેટલા વર્ષોથી આ તહેવાર બહેનો મનાવતી આવી છે. ધર્મ , ભાષા અને બંધનોથી અલગ ભાઈબીજ તહેવાર કોઈનો બંધક હોય તો તે ફક્ત ભાવનાઓનો અને ભાઈ-બહ

ક્ષત્રિય જાતિઓ અને વસવાટ

ગુજરાતની ક્ષત્રિયા જાતિઓ         છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં અનામત આંદોલનો અને વિવિધ જ્ઞાતિઓના સમીકરણો અને કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. ૯૦ના દાયકામાં ખામ થીયરીથી ગુજરાતના રાજકારણમાં અણધાર્યો વળાંક આવ્યો હતો, એમ કહિયે તો ખોટું નથી. ગુજરાતમાં વર્ષોથી અનામતનું પોટલું એ અભરાઇયે ધુળ ખાતું હતુ, એનો અમલ કરવા બક્ષીપંચની રચના કરીને મુળ ૮૨ જેટલી જાતિઓને સમાવેશ કરી અમલ કરવામાં આવ્યો. રમખાણો થયાં, અનામત વિરોધી આંદોલનો કરવામાં સામેલ કેટલાય યુવાનો પોલીસની ગોળીઓથી વિંધાઈ ગયા. પરંતુ છેવટે ગુજરાતમાં મુખ્યમંત્રી પદે થી એ વખતના મુખ્યમંત્રી એવા માધવસિંહ સોલંકીયે રાજીનામું આપવું પડ્યું હતું. છેવટે ચિમનભાઇ પટેલનો પક્ષ અને ભાજપએ બન્નેએ ભેગા મળીને સરકારી બસોમાં ગુજરાતના દરેક પ્રાંતોમાંથી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના લોકોને બોલાવીને ગાંધીનગરમાં સેકટર્-1 ના હેલીપેડ મેદાનમાં બક્ષીપંચના ૨૭% અનમાતની વિધિવત જાહેરાત કરી. માધવસિંહ સોલંકી પાસે એમની સરકારમાં વિધનસભામાં ક્ષત્રિયા ધારાસભ્યોની બહુમતી હોવા છતાં રાજીનામું આપી દેવું પડ્યું હતુ. પરંતું હાલમાં પટેલ સમાજ દ્વારા અનામત બાબતે જલદ કાર્યક્રમો કરવામાં